Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જેતપુરમાં પત્નીને છરી ઝીંકી મોતને ઘાટ ઉતારતો પતિઃ પોતાના શરીરમાં પણ છરીના ઘા ઝીંકયા...

પારિવારીક કલેશમાં આવેશમાં આવી જઇ સુરેશ સોલંકીએ પત્ની મધુબેન (ઉ.૪૦) નું ઢીમ ઢાળી દીધું: બાદમાં સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ ખસેડાયો : માતાની હત્યા અને પિતાના કૃત્યથી આઠ-આઠ પુત્રીઓ નોંધારીઃ દેવીપૂજક સમાજમાં ચકચાર

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મધુબેન દેવીપૂજક અને તેની હત્યા કરનાર પતિ સુરેશભાઇની ફાઇલ તસ્વીર...

જેતપુર તા.૭ : શહેરના ગોંદરા વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરીવારમાં કલેશના કારણે પતીએ ગત રાત્રીના પત્નીને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરવા શરીરે છરીના ઘા મારતા સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર અત્રેના વડલી ચોક ગોદરા વિસ્તારમાં રહેતો સુરેશ લીંબાભાઇ સોલંકીએ પોતાના પારીવારીક કલેહ ના કારણે ગત રાત્રીના આવેશમાં આવી જઇ તેમની પત્ની મધુબેન ઉ.૪૦ ને પેટમાં જીવલેણ છરીનો ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજેલ બાદમાં પોતાને પણ કોઇ કારણોસર લાગી આવતા આત્મહત્યા કરવા પોતાના શરીરે છરીના ઘા મારેલ આ બનાવની જાણ થતા તેઓને તુરંત સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે લોહીલુહાણ હાલતમાં ખસેડેલ અને તેની પત્નીનામૃતદેહને પી.એમ. માટે લાવવામાં આવેલ.

બનાવની જાણ થતા ઇન્ચાર્જ પી.આઇ. એન.એન.રાણા સ્ટાફ સાથે સરકારી હોસ્પીટલે પહોંચી સુરેશની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છ.ે

મૃતક મધુબેનના સુરેશભાઇ સાથેના લગ્ન જીવન દરમિયાન ૮ દિકરીઓ સંતાનમાં છ.ે આરોપી સુરેશભાઇ મજુરી કામ કરે છ.ે માતાની હત્યા અને પિતાના કૃત્યથી આઠ-આઠ પુત્રીઓ નોંધારી બની છ.ે આ બનાવે દેવીપુજક સમાજમાં ભારે ચકચાર જગાડી છ.ે

(3:46 pm IST)