Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પ્રચાર અંતિમ ચરણમાં: સૌરાષ્ટ્રને ધમરોળતા ભાજપના મોટા ગજાના નેતાઓ

અમિતભાઇ દ્વારકા-ખંભાળીયા, યોગી આદિત્યનાથજી, ઉમા ભારતી, સ્મૃતિ ઇરાની, પરસોતમ રૂપાલા, સૌરાષ્ટ્રને ઘેરી વળશે

રાજકોટ તા. ૬ :... વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના મોટા ગજાના નેતાઓ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

કાલે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે અને જાહેરસભાઓ સાથે પ્રચારકાર્ય બંધ થઇ જશે.

ત્યારબાદ ગ્રુપ મીટીંગો અને લોકસંપર્ક ચાલુ રહેશે.

આજે બુધવારે બપોરે ર.૩૦ વાગ્યે બિરલા ચોક, દ્વારકા અને બપોરે ૪.૩૦ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ જાહેરસભા સંબોધશે.

જયારે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આજે બપોરે ૧ વાગ્યે ગારીયાધાર, બપોરે ૩ વાગ્યે તાલાલા, સાંજે પ વાગ્યે સાવરકુંડલા, સાંજે ૭ વાગ્યે અમરેલી ખાતે જાહેરસભા સંબોધશે.

જયારે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી આજે સાંજે ૭ વાગ્યે ગોંડલના મોવીયામાં અને રાત્રે ૮ વાગ્યે ગોંડલમાં જાહેરસભા સંબોધશે.

જયારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સાંજે પ વાગ્યે પોરબંદર અને સાંજે ૭ વાગ્યે કુતીયાણામાં સભા ગજવશે.

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાની આજે સવારે ૯ વાગ્યે જામજોધપુર, ૧૦.૪પ વાગ્યે ધ્રોલ, બપોરે ૧ર.૪પ વાગ્યે મળીયા હાટીના બપોરે ર.૧પ વાગ્યે માણાવદર, સાંજે ૪ વાગ્યે ભેંસાણ, સાંજે ૬ વાગ્યે  બગસરા, રાત્રે ૮ વાગ્યે જેતપુરમાં સભા ગજવશે.

પરસોતમભાઇ રૂપાલાની બધી સભાઓ પાટીદાર મત વિસ્તારોમાં યોજાઇ છે.

જયારે પરસોતમભાઇ સોલંકી બપોરે ર વાગ્યે કોડીનાર ખાતે સભા સંબોધશે.

 

(12:00 pm IST)