Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જુનાગઢમાં ભણતરનાં ભારથી રૂપલ સોલંકીનો આપઘાત

 જુનાગઢ, તા. ૬: જુનાગઢમાં ભણતરના ભારથી ગત રાત્રે દલિત વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાયને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો એવી જુનાગઢમાં રહેતાં હરેશભાઇ બાવજીભાઇ સોલંકીની પુત્રી રૂપલ (ઉ.વ.૧પ) રહે. ગત રાત્રે ૮.૩૦ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ અંગેની જાણ રાજેશ ઉર્ફે રજુ બાવજીભાઇ સોલંકીએ કરતા એ-ડીવીઝન પોલીસે તુરત જ દોડી જઇને રૂપલબેનનાં  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મૃતક સગીરા ધો. ૧૦માં અભ્યાસ કરતી હતી અને તેણીએ ભણતરના ભારથી મોતને મીટુ કરી લીધું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. વિશેષ તપાસ એ.એસ.આઇ. ડી.એસ. ખીમસુરીયા ચલાવી રહ્યા છે.

 

(11:59 am IST)