Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત

ભાવનગરઃ ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે 'ઓખી' વાવાઝોડાની સંભવીત અસરોને ધ્યાને રાખી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જીલ્લામાં ખાસ કરીને દરીયા કાંઠે તેમજ તળાજા, સિહોર, ઘોઘા, મહુવાના દરિયા કિનારે વાવાઝોડું પસાર થવાની સંભાવનાને કારણે જિલ્લા તંત્રને સજજ રહેવા માટે કલેકટર હર્ષદભાઇ પટેલે સુચના આપી છે. આ પરિસ્થિતિમાં દરિયા કિનારાનાં ગામોમાં માછીમારોને દરિયો ન ખેડવા તથા દરિયા કિનારે ફરવા જતાં ખલાસીઓને દરિયા કિનારે ન જવા અપીલ કરાઇ છે. દરમ્યાન ભાવનગરમાં એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફનાં ૩પ જવાનોને શહેરની માજીરાજવાડીમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

(11:39 am IST)