Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વિંછીયાના અણઉકેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા કુંવરજીભાઇની તાકીદ

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા, તા. પ : અહીં વિંછીયા તાલુકાના સેવા સદન ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો.

જેમાં લાંબા સમયથી અણઉકેલ રોડ-રસ્તા, એસ.ટી. સહિતના સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં સંબંધિત અધિકારીઓને તાકીદના ધોરણે પ્રશ્નોના નિરાકરણ અંગે મંત્રી કુંવરજીભાઇએ સુચના આપેલ સાથે વિંછીયામાં કરોડો રૂ.ના ખર્ચે ભૂગર્ભ ગટર-પાણી પાઇપ લાઇનના કામ શરૂ છે.

જે ઝડપથી કરવા તેમજ દિવાળીના તહેવારમાં કોઇને અગવડ ન પડે તેવું કરવા તાકીદ કરાઇ હતી. આ લોકદરબારમાં વિંછીયા તાલુકાના તમામ અધિકારીઓ, વિવિધ ગામના સરપંચ, અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)