Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ધોરાજીમાં તહેવારોના સમયે મંદીનું મોજું વેપારીઓ મૂંઝવણમાં...

ધોરાજી, તા.૬: દિવાળીના સમયમાં બજારોમાં ઘરાકી નહીં દેખાતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

લોકડાઉન બાદ અને કોરોના ની સ્થિતિ વચ્ચે દેશની ઔદ્યોગિક કમર તૂટી પડી છે. જેની અસરો નાના શહેરોમાં પણ જોવા પડી છે. દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે ઘરાકી જોવા મળતી ન હોવાથી વેપારીઓ મૂંઝાયા છે. બઝારમાં કપડા,  કોસ્મેટિક આઈટમ કે સોના ચાંદીની બજારો પણ સુમશામ દેખાઈ રહી છે.

લાંબા સમય સુધી લોકડાઉન રહ્યા બાદ વેપારીઓને દિવાળી સમય સારો જાય તેવી આશા સેવી રહ્યા હતા. હવે દિવાળી આડે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે બજારમાં ઘરાકી જોવા મળતી ન હોવાથી વેપારીઓ મૂંઝાયા છે.

(11:26 am IST)