Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં પીવાના પાણીની પાઈપ લાઇનમાં લીકેજ : પાણીના વેડફાટથી લોકોમાં નારાજગી

સુરેન્દ્રનગર :શહેરની મધ્યમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. શહેરમાં લોકોને હાલના દિવસોમાં સાત દિવસમાં એક વાર પીવાના પાણીનું વિતરણ કરાય છે ત્યારે આ રીતે પાણીના વેડફાટ થી લોકોમાં ભારે નારાજગી જોવાઈ હતી તંત્રની બેદરકારી બહાર આવી છે દિવાળીના દિવસોમાં ઘરની સાફ સફાઇ માટે પાણીની વિશેષ જરૂર હોય છે ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે.

   
(8:16 pm IST)