Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અંજારના મેઘપર (કું)માં દિન દહાડે ઘરફોડ ચોરી:તીજોરીમાંથી ૭૬ હજાર ૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી

અજાણ્યા તસ્કરે આંગણાની દિવાલ કૂદી ઘરમાં પ્રવેશીને તીજોરીમાંથી ચોરી કરી

અંજારના મેઘપર કુંભારડીમાં આવેલા સિધ્ધાર્થનગરમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. સોમવારે સવારે થયેલી ચોરી અંગે અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી ભીમદેવસિંહ રાણા નોકરી પર ગયેલાં. તેમના પત્ની પુત્રને લઈ ઘરને તાળું મારી સવારે સાડા દસથી સાડા બારના અરસામાં આંખના દવાખાને ચેકઅપ કરાવવા ગયાં હતા. તે દરમિયાન, અજાણ્યા તસ્કરે આંગણાની દિવાલ કૂદી ઘરમાં પ્રવેશીને તીજોરીમાંથી ૭૬ હજાર ૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી

(8:33 pm IST)