Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જીતુભાઇ વાઘાણીની જન આશીર્વાદ યાત્રાનું કાલે કુવાડવા-પારડી-વીરપુર-જેતપુર ગોંડલમાં થશે સ્વાગત

રાજકોટ,તા. ૬: ગુજરાત રાજયના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અનુસાર વિકાસ કાર્યો જન સુધી પહોંચે અને જન જનતા આશીર્વાદ મળે તે માટે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.  તે અંતગર્ત જન-જનના આશીર્વાદ મેળવવા માટે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા આવતીકાલે ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકે કુવાડવા ખાતે આગમન થશે.

ત્યારબાદ પારડી, વીરપુર, ખોડલધામ(કાગવડ), જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી અને શાપર(વેરાવળ)નો પ્રવાસ કરશે. તેમ જનઆશીર્વાદયાત્રાના ઇન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા તથા  મનીષભાઈ ચાંગેલાએ યાત્રાની માહિતી આપતા એક યાદીમાં જણાવેલ છે.

આ તકે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના વડપણ હેઠળ તથા જીલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી તથા જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી, દિનેશભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સમગ્ર જીલ્લામાં પ્રવાસમાં સાથે જોડાશે.

(3:10 pm IST)