Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગરમાં ખીજડા મંદિરમાં પ્રાણનાથજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા

જામનગર : જામનગરમાં ખીજડા મંદિરમાં પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખીજડા મંદિર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતા. જામનગર ખીજડા મંદિરમાં પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે મહાઆરતી અને ધ્વજારોહણ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગર શહેરના મુખ્ય માર્ગો પર ખીજડા મંદિરના આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજના સાનિધ્યમાં ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતા. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી પ્રારંભ થઈ હવાઈચોક, સેતાવડ, ચાંદીબજાર, બેડીગેટ થઈ ફરીથી ખીજડા મંદિર પૂર્ણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં રાજયમાંથી અને રાજયબહાર થી ખૂબ મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:51 pm IST)