Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સાવરકુંડલા : ઇદે મિલાદુન્નબી પર્વના ઝુલુસની મંજૂરી મુદ્દે રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડાલ,તા.૬ :  ઈદે મિલાદુન્નબી પર્વના જુલુસની મંજૂરી બાબતે ગુજરાતના ડી.જી.પી.ની જોડે રૂબરૂ મુલાકાત કરી. જેમાં ધારાસભ્ય  ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય જાવેદભાઈ પીરજાદા, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડીપાર્ટમેન્ટના ચેરમેન શ્રી વજીર ખાન પઠાણ સાહેબ , ઇકબાલભાઈ શેખ એડવોકેટ, જુનેદભાઈ શેખ, મુનીરભાઈ કલીમી (ઈદે મિલાદ કમિટીના ટ્રસ્ટી ), રફીકભાઈ કાદરી, જી.પી. ચાવાલા, ઉસ્માનભાઈ કુરેશી, સલીમભાઈ ઘીવાલા, શાહીદભાઈ શેખ (સિવિલ એન્જિનિયર), આબીદ ભાઈ એડવોકેટ હાજર રહ્યા હતા.

મુલાકાત નિમિતે સમગ્ર ગુજરાતમાં ઈદે મિલાદુન્નબીના જુલુસ માટે અને શાંતિ પૂર્વક કોરોનાની ગાઈડ લાઈન મુજબ ત્યોહાર ઉજવવા સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ તરફથી માંગણી કરેલ છે.

ઉપરોકત માંગણીને ડી. જી. પી સાહેબ શ્રી દ્વારા હકારાત્મક રીતે સાંભળવામાં આવી. હાલ કોરોના ગાઈડ લાઈન,એસઓપી તેમજ  રથયાત્રા - ગણેશ ઉત્સવ - નવરાત્રી  જેવા તહેવારો અને વર્તમાન સંજોગોને અનુરૂપ પર્વોને ધ્યાનમાં રાખી આવતા સપ્તાહ સુધી હકારાત્મક યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.

(12:49 pm IST)