Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગીર સોમનાથ જીલ્લામાં નવરાત્રીમાં પ્રાચીન વાજીંત્રોનાં વેચાણની વેપારીઓને આશા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ૬: ગીર-સોમનાથના  રામભરોસે ચોકમાં ચાર-ચાર પેઢીથી આશાપુરા તબલા રીપેરર જીતુભાઇ દેવડા કહે છે, ''ગત વરસે કોરોનાને કારણે રાતા ફદીયાંની બોણી કે કમાણી થઇ નોતી આ વરસે કોરોના ઓછો કે મુકત થતાં નવરાત્રીમાં નિયમો સાથેની મળેલી છૂટને કારણે થોડી-થોડી ઘરાકી નીકળી છે.''

અહીં કોડીનાર, તાલાલા, કેશોદ સુધીના ગામવાળાઓ પોતાના ગામ-ગામડામાં રમાતી પ્રાચીન ગરબીમાં ઝૂમવા-મા આદ્યશકિતની ઉપાસનામાં તલ્લીન થવા ઢોલ, ઢોલક, તબલાંની જોડી, ઝાંઝ પખવાજ ખરીદવા કે રીપેર કરવા આવે છે તેઓ માત્ર નવરાત્રી આગલા દિવસની સંધ્યા સુધી આવે છે બાકીના મહિનાઓમાં તો કોઇ એકલ દોકલ ભજન મંડળ-ધૂન મંડળનું રીપેરીંગ આવે બાકી કંઇ કામ ન મળે.

નવરાત્રીમાં જે વાજીંત્રોને સથવારે એક જમાનામાં ગામ-ગામડાઓમાં ઢોલ-શરણાઇ-ઝાંઝ-પખવાજ-નોબતની ઝમઝટથી લેવાતી ગરબીઓ ઓછી કે લુપ્ત થઇ છે અદ્યતન વેર્સ્ટન વાજીંત્રો-ડી.જે. સી.ડી. અને કેસેટોમાં ધ્વનિવર્ધક યંત્રોના સથવારે અર્વાચીન ગરબીઓ આવી જતાં ધંધાને અસર તો પડી જ છે પરંતુ બદલતા જમાનાની વાસ્તવિકતા સ્વીકારવી જ પડે છતાં ઉપરવાળાની મહેરબાનીથી ઘરનો રોટલો ખર્ચ નીકળે છે.

(11:39 am IST)