Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવા કરી પરત વળતાં મોરબીના એક સેવાભાવીનું છોટાહાથી પલ્‍ટી ખાતા મોત, બે જણને ઈજા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬ :   મોરબીથી માતાના મઢ વચ્‍ચે પદયાત્રીઓની સેવા કરી વળતાં સેવાભાવીઓનું વાહન અંજાર નજીક ઉથલતાં એકનું મોત નિપજ્‍યું હતું જ્‍યારે બે જણ ને ઈજા પહોંચી હતી. મોરબીથી ૭ સેવાભાવી કાર્યકરો છોટા હાથીમાં સામાન લઈ સેવા માટે નીકળ્‍યા હતા. સેવા બાદ પરત અંજારમાં જેસલ તોરલની સમાધિ ના દર્શન કરી તેઓ પરત મોરબી જઈ રહ્યા હતા ત્‍યારે અંજાર નજીક વરસામેડી ભીમાસર નજીક સામેથી આવતી ટ્રકથી બચવાની કોશિશમાં છોટા હાથી પલ્‍ટી મારી ગયું હતું. વાહન પલ્‍ટી મારી જતાં તેમાં બેઠેલા મોરબીના ૩૨ વર્ષીય યુવાન જગદીશ મોહનભાઈ સોલંકીનું માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય બે જણ નરેશ કાળુભાઇ સોલંકી તેમ જ મહેશ મનુભાઈ વાઘેલાને ઈજા થતાં તેમને અંજારની હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અંજાર પોલીસે છોટા હાથીના ચાલક તુલસી ધનજીભાઈ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૨૫.૩)

 

(11:01 am IST)