Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળની વાર્ષિક સભા

બગસરા : નાગરિક શરાફી સહકારી મંડળીની ૩૭મી વાર્ષિક સાધારણસભા સહકારી નેતા દિલીપભાઇ સંઘાણીની અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાળાની તરીકે હાજરી આપેલ મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયાની આગેવાનીમા અમદાવાદના સહકારી આગેવાનો, રાજકીય તેમજ સામાજીક સંસ્થાના વડાઓ સહિતના મંડળીના સભાસદોની હાજરીમા યોજાયેલ. મંડળી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧મા કરાયેલ કામગીરીનો અહેવાલ અને મંડળી દ્વારા સામાજીક ક્ષેત્રે ઉતરદાયિત્વ નિભાવવા સાથે સભાસદોને પોતીકી મંડળી લાગે તેવા વહીવટને દિલીપભાઇ સંઘાણીએ બિરદાવેલ. મહેશભાઇ કસવાળાએ સહકારી પ્રવૃતિ થકી છેવાડાના માનવી સુધી આર્થિક જરૂરિયાત મુજબના લાભો થતા હોય ત્યારે મંડળીની કામગીરીને અભિનંદન પાઠવેલ. અમદાવાદ મ્યુનિસીપલના મેયર કિરીટભાઇ પરમારે બગસરાથી શરૂ થયેલ આ મંડળી અમદાવાદ મુકામે સાધારણસભા યોજી રહી છે તે અભિનંદનને પાત્ર છે. એનસીયુઆઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાળા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમદાવાદ મ્યુનિસીપલના મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ મ્યુ.ના શાસકપક્ષના નેતા ભાસ્કરભાઇ ભટ્ટ, નિકોલ નરોડા સૌરાષ્ટ્ર પટેલ સમાજના આદ્યસ્થાપક મગનભાઇ રામાણી, કોર્પોરેટર મહેશભાઇ કુસવા, લોકસાહિત્યકાર નાનજીભાઇ હિરપરા, કોકીલાબેન કાકડીયા સહિતના વકતાઓએ મંડળીની પ્રગતીને બિરદાવેલ. મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયાએ સભાસદોને ૧૫% ડિવીડન્ડ તથા આકર્ષક ભેટની જાહેરાત કરેલ અને મંડળીની વિવિધ સવલતોનો લાભ સભાસદો લ્યે તેવી અપીલ કરેલ. સ્વાગત પ્રવચન અમદાવાદ શાખાના એમડી અશ્વિનભાઇ પેથાણીએ કરેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના જનરલ એમ.ડી.નિતેષ ડોડીયા તથા ડીરેકટર ધીમંતભાઇ શેઠ તથા જનરલ મેનેજર ડી.જી.મહેતાએ કરેલ આભારવિધિ અમદાવાદ શાખાના સંજયભાઇ કાછડીયા દ્વારા કરવામાં આવેલ. વાર્ષિક સાધારણ સભાની તસ્વીર.

(10:36 am IST)