Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો.

દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કર્યા

મોરબી :  શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું જેમાં ધોરણ ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ અને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કર્યા હતા જે પ્રસંગે મોરબી જીલ્લા ડીડીઓ પી જે ભગદેવ, મંડળ પ્રમુખ પ્રશાંતભાઈ સેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવંશી યુવક મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

(9:47 pm IST)