Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગરમાં ગેંગરેપ બાદ વધુ એક દુષ્કર્મથી હાહાકાર : છરીની અણીએ બે વખત બળાત્કાર ગુજાર્યો :આઘાતમાં સગીરાના પિતાનો આપઘાત

સામુહિક દુષ્કર્મને પગલે જીલ્લો રાજ્યભરમાં બદનામ થયા બાદ જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં હેવાનિયત : વિલાસપુર ગામના અશ્વિન વાઢિયા કાળી કરતૂત

 

જામનગર :જામનગરમાં એક સગીરા પર ચાર નરાધમોએ ગુજારેલ સામુહિક દુષ્કર્મને પગલે જીલ્લો રાજ્યભરમાં બદનામ થયા બાદ જિલ્લામાં વધુ એક બળાત્કારની ઘટના બનતા પોલીસનો ખોફ ઓસરી 5રહ્યાંની છાપ ઉપસે છે નરાધમોને પોલીસનો કોઈ ડર  તેમ હેવાનિયત આચરે છે જામજોધપુર પંથકમાં સગીર દીકરી પર બળાત્કાર થયાની જાણ થતા આઘાતમાં સગીરાના પિતાએ ઝેરી દવા પી આપઘાત કરતા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે

  અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ આજથી તા. ૨૨//૨૦૨૦ પૂર્વેના આઠ માસ પહેલા તેણીને છરીની અણીએ ધમકી આપી બાજુના વિલાસપુર ગામમાં રહેતો અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના સખ્સે બે વખત સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો, અને બનાવ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખશે, તેવી ધમકી આપી હતી. જેને લઈને ડરી ગયેલ સગીરા અવાચક થઇ ગઈ હતી. પરંતુ તાજેતરમાં ગત ૨૨ મી તારીખે સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણ થતા તેઓને જોરદાર આઘાત લાગ્યો હતો. પુત્રી સાથે થયેલ દુષ્કર્મને લઈને ગુમસુમ રહેતા તેણીના પિતાએ  ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સપ્તાહ પૂર્વે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
  ઘટનાને પગલે સગીરામાંથી પુખ્ત બની ગયેલ યુવતીએ આજે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે આઇપીસી કલમ ૩૭૬ (),એન.૫૦૬-, અને પોક્સો એક્ટ ની કલમ , મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે સગીરાનો કબજો સંભાળી જી.જી.હોસ્પિટલમાં મેડીકલ પરીક્ષણ કરાવવાની તજવીજ શરુ કરી છે. બનાવને પગેલ નાના એવા વરવાળા ગામમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. પોતાની પર થયેલ પોલીસ ફરિયાદની જાણ થતા આરોપી અશ્વિન હાલ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(12:46 am IST)