Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કર્મચારીઓને સમયસર સેવાકીય લાભ મળે તે માટે નવતર અભિગમ સાથે કેમ્પ પધ્ધતિ

જુનાગઢ, તા.૬: જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શ્રી આર એસ ઉપાધ્યાય શિક્ષણ જગતને લગતા કર્મચારીઓને લગતા પ્રશ્નો સતત ઉકેલવામાં આવી રહ્યા છે.

શિક્ષણ જગતમાં જુનાગઢ જિલ્લાને મોખરે લાવવાના ધ્યેય સાથે કામ કરવાની સુઝેબુઝે ધરાવતા કર્મનિષ્ઠ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આરએસ ઉપાધ્યાયની સતત જહેમતથી શનીવારે લેવાયેલ ઓનલાઇન પરીક્ષામાં સમગ્ર રાજયના ૩૩ જીલ્લાઓમાંથી પરીક્ષામાં જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેનો શ્રેયશ્રી ઉપાધ્યાયના ફાળે જાય છે એક પછી એક વહિવટી સરળતા માટે નિર્ણયો લઇ કામગીરી હાથ ધરનાર શ્રી ઉપાધ્યાય દ્વારા કર્મચારીઓને સમયસર સેવાકીય લાભો મળે તે માટે કેમ્પ પધ્ધતિનું આયોજન કરેલ છે.

જેમાં તમામ બિનસરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલો રજુ કરવા બાબતે દરેક શાળાના આચાર્યને પરિપત્ર કરવામાં આવ્યો છે.

જેમાં જે કર્મચારીઓને સાતમાં પગારપંચનું સ્ટીકર આવી ગયેલ હોય તેની દરખાસ્ત રજુ કરવાની રહેશે તેમજ સીસીસી તથા હિન્દી પરીક્ષા પાસ કર્યાની નોંધ તથા બાંહેધરીની અંગેની નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે તથા દરખાસ્ત સાથે બે નકલો રજુ કરવાની રહેશે અને અસલ સેવાપોથી તથા નિયત નમુનામાં દરખાસ્ત શાળાના ફોર વર્કીગ સાથે શાળાના આચાર્યશ્રીએ કેમ્પમાં હાજર રહેવાનુ રહેશે તેમજ સમીતીની ભલામણમાં મંડળના પ્રમુખ મંત્રી તથા આચાર્યના સહી સિક્કા સાથે રજુ કરવાની રહેશે.

 આર એસ ઉપાધ્યાયએ વધુમાં જણવેલ કે ખાનગી અહેવાલ મળવાપાત્ર તારીખથી આગળના પાંચ વર્ષના અસલ તથા ઝેરોક્ષ કોપી રજુ કરવાના રહેશે તેમજ મજકુર કર્મચારી સામે કોઇ ખાતાકીય તપાસ ચાલુ નથી કે પડતર નથી તે અંગેનું પ્રમાણપત્ર દરખાસ્ત સાથે રજુ કરવાનુ રહેશે.

આગામી ૧૩ ઓકટોમ્બરને મંગળવારના રોજ જુનાગઢ શહેર ગ્રામ્યવંથલીનો કેમ્પ સવારે ૧૦:૩૦થી બપોરે ૩:૩૦ કલાક સુધી કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ખાતે યોજાશે તેમજ તા.૧૪ ઓકટોબરને બુધવારના રોજ ભેંસાણ વિસાવદર મેંદરડાનો સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૩૦ સુધી સ્વામિનારાયણ હાઇસ્કુલ વિસાવદર ખાતે કેમ્પ યોજાશે તેમજ તા.૧૪ ઓકટોબર બુધવારે કેશોદ માંગરોળ માળીયાહાટીના માણાવદરનો કેમ્પ સવારે ૧૦:૩૦થી કે એ વણપરિયા કન્યા વિનય મંદિર કેશોદ ખાતે યોજાશે.

(12:49 pm IST)