Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પાંચ પીપળાની જમીનનો કબજો અપાવવા મુખ્યમંત્રીને રજુઆત

રાજેશભાઇ ભડેલીયા દ્વારા ફરીયાદ નિવારણમાં અરજી

રાજકોટ,તા. ૬: જેતપુર તાલુકાના પાંચ પીપળાના રાજેશભાઇ ભડેલીયાએ મુખ્યમંત્રી ફરીયાદ નીવારણ કાર્યક્રમમાં જમીનો કબ્જો અપાવવા અંગે રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે રાજકોટ રે.સ.નં. ૧૭૫ પૈકી ખેડવાસ જમીન તેમના પિતાશ્રીને આવેલ છે. પિતાશ્રીના અવસાન બાદ તેમના માતૃશ્રી સીધી લીટીના કાયદેસરના વારસદાર થાય છે. પરંતુ અમૂક લોકોએ આ જમીન પર કબજો જમાવી લીધેલ છે. આ અંગે ૨૦૧૪ની સાલથી જેતપુરની કોર્ટમાં કેસ ચાલી રહેલ છે.

આ જમીનનો કબજા મળે તેવો પ્રબંધ કરાવવા ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રાજેશભાઇ નરશીભાઇ ભડેલીયા (મો. ૯૬૨૪૭ ૨૫૯૧૮)એ રજુઆત કરી છે.

(11:42 am IST)