Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સોમનાથ મંદિરમાં વૈભવી વારસા તસ્વીરોનું પ્રદર્શન

પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે મંદિર દર્શન પ્રવેશ એન્ટ્રી ગેટ પાસે ગુજરાત ટુરીઝમ વિભાગ તરફથી તા.૪ ઓકટો.થી દસ દિવસીય ગુજરાતના અણમોલ વૈભવી વારસા સમા આસ્થા સ્થાનિકો, પક્ષી વનરાજ અને ઐતિહાસિક સ્થળોની વિશાળ નયનરમ્ય આકર્ષક રંગીન તસ્વીરોનું પ્રદર્શન કાર્યરત કરાયુ. સોમનાથ દર્શને આવતા પ્રવાસીઓ, યાત્રિકો, પ્રદર્શનના આ સ્ટોલમાં વિધ વિધ તસ્વીરો સાથે પોતાના મોબાઇલથી સેલ્ફી લઇ યાત્રાને આનંદ સાથે રમણીય બનાવે છે સ્મરણીય પણ પ્રદર્શીત કરાયેલ તસ્વીરોમાં ગીરનો કેસરી વનરાજ, સ્ટેચ્યુ ઓફ યુનીટી સહિતની તસ્વીરો આકર્ષક સ્થંભોથી બનેલા સ્ટોલમાં દર્શાવાઇ રહી છે.

(11:32 am IST)