Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગારીયાધાર બંધને સજ્જડ પ્રતિસાદ

વાલ્મીકી સમાજ દ્વારા રેલી યોજી આવેદન

ગારીયાધાર, તા. ૬ : શહેરના હાથરસની ઘટના વિરોધમાં ગારીયાધાર વાલ્મીકી સમાજ દ્વારા સમગ્ર શહેરને બંધ રાખવામાં આવ્યું હતું. જેમાં ગારીયાધાર શહેરના નાના-મોટા તમામ વેપારીઓએ બંધ રાખીને સહકાર આપ્યો હતો.

જેમાં ગારીયાધાર વાલ્મીગી સમાજ દ્વારા આંબેડકર નગરથી સમગ્ર શહેરમાં રેલી યોજી હતી. એસ.ટી. સ્ટેશન ખાતે બાબા સાહેબના બાવલાને ફુલહાર કરાયા હતાં. ત્યાર બાદ ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું જે આવેદન પત્રમાં હાથરસની પીડીતા ન્યાય આપવા તેમજ તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. આ જાહેર રેલી દરમિયાન હાયરે, ભાજપ, હાયરે મોદી અને હાયરે યોગીના વાલ્મીકી સમાજ દ્વારા નારાઓ લગાવામાં આવ્યા હતાં.

આ આવેદન પત્ર દરમિયાન વાલ્મીકી સમાજના પ્રમુખ જેેન્તીભાઇ નૈયા, દલીત આવેદન દિનેશભાઇ વણઝારા, કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ગોગદાણી, શહેર પ્રમુખ કોંગ્રેસ વલ્લભભાઇ માણીયા, ગુજરાત સંસદ પાટીના મનુભાઇ ચાવડાના રાજકીયઆગેવાનો હાજર રહ્યા હતાં.

(11:27 am IST)