Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સીદસર ઉમાધામ પ્રથમ નોરતાથી ખુલ્લુ મુકાશે

મોટી પાનેલી,તા. ૬: સુપ્રસિદ્ઘ યાત્રાધામ ઉમિયાધામ સીદસર લોકડાઉન અને કોરોના મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમય થી બંધ રાખવામાં આવેલ માઁ ઉમિયાના લાખો શ્રદ્ઘાળુઓ માઁ ના દર્શન માટે વ્યાકુળ હતા માઁ ના ભકતોની માઁ પ્રત્યેની શ્રદ્ઘા અને વિશ્વાસને લઈને ભકતોની આતુરતાનો અંત તારીખ ૧૭/૧૦/૨૦૨૦ ને શનિવાર આષો શુદ એકમ એટલેકે માતાજીના પ્રથમ નોરતેથી ઉમિયા ધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.સવાર થી સાંજ સુધી ભકતો માટે મંદિર ખુલ્લું રહેશે આ દરમિયાન દર્શનાર્થીઓએ કોવીડ ૧૯ ની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નો અમલ થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી બનશે.

(11:26 am IST)