Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર માતાના મઢે કર્યા દર્શન

બંને પુત્ર, પુત્રવધુઓ અને પત્નિ સહિત પોતે પારિવારિક પ્રવાસે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રવિવાર અને સોમવાર એમ બે દિવસ સહપરિવાર કચ્છનો પ્રવાસ કર્યો હતો. તેમણે માતાના મઢ મધ્યે મા આશાપુરાના દર્શન કર્યા હતા. પોતાના બંને પુત્રોના લગ્ન બાદ તેઓ પુત્રવધુઓ અને પત્નિ સાથે સહપરિવાર માતાજીના દર્શને આવ્યા હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. સાસંદ વિનોદ ચાવડાએ તેમને આવકારી સન્માનિત કર્યા હતા.

 

પ્રદીપસિંહ જાડેજાએ માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્ર્સિંહજી રાજાબાવાની મુલાકાત લઈને તેમના આર્શિવાદ મેળવ્યા હતા. રાજાબાવા ઉપરાંત ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, ગામના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાઅઙ્ખ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું.

ગૃહમંત્રી પ્રદીપસિંહે ૧૩ થી ૨૫ દરમ્યાન મંદિર બંધ રહેશે એ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત જાળવવાની ચર્ચા કરી કોરોનાની આ મહામારી દરમ્યાન સૌને સાવચેતી રાખવા અપીલ કરી હતી. તેમણે માતાના મઢના વિકાસ અંગે પણ ચર્ચા કરી જરૂરી સુચનો કરી સરકાર દ્વારા સહકાર આપવાની ખાત્રી આપી હતી.

(11:38 am IST)