Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અપ્રમાણસર મિલકતના કેસમાં ફસાયેલા કલ્યાણપુરના તત્કાલીન PSI ભદોરીયા ફરાર જાહેર: વોરંટ ઇસ્યુ કર્યું

 

ખંભાળિયા : અપ્રમાણસર મિલકતના કેસમાં ફસાયેલા તત્કાલીન કલ્યાણપુર પી.એસ.આઈ શૈલેન્દ્રસિંઘ ભદોરીયાને ફરાર જાહેર કરી દ્વારકા કોર્ટે વોરંટ જાહેર કર્યુ છે. લાંબા સમયથી તેઓની શોધખોળ કરવા છતા આજ દિન સુધી પીએસઆઇ ભદોરીયા મળી આવ્યા નથી. જેથી દ્વારકાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને ફરાર જાહેર કરી વોરંટ કાઢ્યુ છે.

  કેસમાં કોર્ટે તેમના વિરૂદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું છે. છેલ્લા લાંબા સમયથી તેમની શોધખોળ ચાલુ છે પરંતુ તેમની ભાળ મળી હોવાથી અંતે વોરંટ ઈશ્યુ કરવાની ફરજ પડી હતી.

(10:06 pm IST)