Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમરેલીમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીનુ સ્વપ્ન સાકાર થતા જુના જનસંઘી અને ભાજપ દ્વારા ગોળધાણાનુ વિતરણ

અમરેલી તા.૬:  શ્યામપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર  થતા  કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રિ અમિતભાઇ શાહ દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબુદ કરતા દેશભરમાં ભારત હવે ખરેખર આઝાદ થયુ હોય તેવો દિવાળી જેવો ઉત્સવ માહોલ છે. ત્યારે અમેરલી જિલ્લા મ.સ.બેંક ખાતે જુના જનસંઘી અને ભાજપના અગ્રણીઓ , કાર્યકરર્તાઓ તેમજ મહિલા મોરચો  એકત્ર  થયેલ. ઢોલ ત્રાસા સાથે રસ્તામાં ગોળધાણા વહેચી મો મીઢા કરાવેલ. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વીનભાઇ સાવલીયા, જિલ્લા ખ.વે. સંઘના ચેરમેન જયંતિભાઇ પાનસુરીયા, માવજીભાઇ ગોલ, બાવાલાલ મોવલીયા, તુષારભાઇ જોશી, એમ.આર ધાનાણી, હકુભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ પરવાડીયા, મનોજભાઇ વાળા, બાબુભાઇ ત્રાપસીયા, મયુરભાઇ મંજરીયા, ભગીરથભાઇ ત્રિવેદી, પ્રભુદાસભાઇ તલાટી, એડવોકેટ પીયુષભાઇ શુકલ , જીતુભાઇ તળાવીયા, બીપીનભાઇ જોશી, હસમુખભચાઇ દુધાત , યોગેશભાઇ ગણાત્રા, કિશોરભાઇ આજુર્ગીયા, ધીરૂભાઇ ગઢીયા ભરતભાઇ કાનાણી, મૌલીકભાઇ ઉપાધ્યાય, મધુભાઇ કાવઠીયા, ભાવનાબેન ગોંડલીયા, રેખાબેન માવદીયા, રંજનબેન ડાભેી, અલ્કાબેન ગોંડલીયા, ચંદુભાઇ રામાણી, ચીરાગ ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલઃ અરવિંદ નિર્મળ - અમરેલી)

(1:36 pm IST)