Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ખંભાળીયામાં આર્થિક ભીંસથી કંટાળીને ૭૦ વર્ષના પ્રૌઢનો આપઘાત

ખંભાળીયા તા.૬: સુરતના વરાછામાં રજાવટ પેલેસમાં રહેતા ચીમનલાલ બોઘાભાઇ ઉનડકટ (ઉ.વ.૭૦)ના પ્રૌઢે ગત તા.૪ના રોજ આર્થિકભીંસ અને માનસીક બિમારીથી કંટાળી ખંભાળિયા વિજય ચોકમાં આવેલા રહેણાંક મકાને ગળેટૂંપો ખાઇ આપઘાત કરી લેતા મોત નિપજયું હતું. બનાવ અંગે ભરત કાંતીલાલ સેતાએ ખંભાળિયા પોલીસ મથકે જાહેર કરેલ છે. પોલીસ દ્વારા મરણ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારેબિજા બનાવમાં ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતો દીનેશભાઇ નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૪)ના યુવાને ગત તા.૪ના રોજ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નિપજયું હતું. ત્રીજા બનાવમાં કોઠાવિસોત્રી ગામે રહેતા ભરત વાલજીભાઇ જાડેજા (ઉ.વ.૩૫) નો ગરાસીયા યુવાન ગત તા.૩ના રોજ વાડીએ કામ કરતો હોય ત્યારે વાડીના શેઢામાં પડી ગયેલા થાંભલામાં શોર્ટ લાગતા સારવાર અર્થે ખંભાળિયા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

વાડીનામાં ધંધાના પૈસાના મનદુઃખમાં યુવાન પર હુમલો

વાડીનાર ધાર નિશાળની બાજુમાં રહેતા મામદ સુલેમાન સુંભણીયા (ઉ.વ.૨૩)નાએ વાડીનાર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે કે, વાડીનારમાં જ રહેતા આમીન ઓસમાણ સંધાર અને દાઉદ ઓસમાણ સંધાર સાથે સાતેક વર્ષ પહેલા તે અને તેમના ભાઇઓ બોટમાં સાથે માછીમારી કરતા હોય તે વખતના પૈસાની લેતી દેતીમાં વાધો પડતા મનદુઃખ રાખી ગત તા.૪ના સાંજના સમયે ફરીયાદી વાડીના બંદરે હોય ત્યારે આમીન ઓસમાણ સંધાર,દાઉદ ઓસમાણ સંધાર તાલબ સુલેમાન સંધારે લાકડી વડે મારમારી મંઢ ઇજા કરી હતી. આ અંગે ફરીયાદીની ફરીયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી વાડીનાર મરીન પોલીસે હાથ ધરી છે.

દ્વારકામાં બે સ્થળે જાહેરમાં પાના ટીચતા પાંચ સપડાયા

દ્વારકામાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી તોતાદ્વી મઠ પાસે રાત્રીના સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા શંકર હિરા, ઓડીચ, ઇમરાન બહાઉદીન ઉર્ફે બલુ મીર, બકુલ હિંમત કાપડી ત્રણેયને રોકડા ૨૫૯૦ સાથે દ્વારકા પોલીસે ઝડપી લીધા હતા. જયારે બિજા દરોડામાં આવળ પરા અલખ હોટલ પાછળ આવેલી પાણાની ખાણમાં રોન પોલીસનો જૂગાર રમતા રમુભા કરશનભા માણેક, અર્જુનભા ભોજાભા માણેક બંન્નેને રોકડ રૂ.૩૫૫૦ની મતા સાથે ઝડપી લીધા હતા.

(1:33 pm IST)