Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ગાંધીધામમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બેના મોતઃ એક ગંભીર

મુંદરાથી મહેસાણા જતી બસ સાથે રોંગસાઇડમાં આવતી ટ્રિપલ સવારી બાઈક અથડાઈ

ભુજ, તા.૬: કચ્છનાં ગાંધીધામમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના મોત નીપજયાં છે જયારે ત્રીજો યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં છે.

આ અંગે મળતી વિગત મુજબ મુંદરાથી મહેસાણા જતી બેચરાજી ડેપોની એસટી બસ સાથે રોંગસાઈડમાં સામેથી બાઈક પર ટ્રીપલ સવારી આવતાં યુવકો ટકરાયાં હતા. જેમાં ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા હરેશ કરમશી મહેશ્વરી અને દિનેશ લાખા જોગીનું મોત નીપજયું છે. દ્યાયલ થયેલા ત્રીજા યુવકનું નામ ફિરોજ છે. અને તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

અકસ્માત સ્થળ પર એકત્ર થયેલાં ટોળાએ રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરતાં બસના કાચ તૂટી ગયા હતા. દ્યટના બાદ એસટી ચાલક નાસી છૂટ્યો હતો જેને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)