Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

હિરપરા કન્યા વિદ્યાલય અને શ્રી અકબરી કન્યા છાત્રાલય દ્વારા શ્રધ્ધાંજલી સભા યોજાઇ

કાલાવડ : ખેડૂતોના 'છોટે સરદાર' એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયાનાં દિવ્ય આત્માને શાંતિ માટે શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય કાલાવડ શૈક્ષણીક સંકુલમાં સૌના સહકારથી તા. પ-૮-૧૯ ના રોજ શ્રધ્ધાંજલી સભા યોજાય જેમાં બહોળી સંખ્યામાં સર્વ સમાજના આગેવાનો તથા સંસ્થાના સર્વ ટ્રસ્ટીશ્રીઓ તથા સર્વ રાજકીય પાર્ટીના આગેવાનો તથા આર. સી. ફળદુ (કૃષિમંત્રીશ્રી) ગાંધીનગરથી ટેલીફોનીક શ્રધ્ધા સુમન અર્પણ  કર્યા તથા સંતો-મહંતો તથા તાલુકાના સર્વ ખેડૂતો તથા વાલીશ્રીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ તથા આ શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ તથા  સર્વેની ઉપસ્થિતીમાં શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : કમલેશ આશરા -કાલાવડ)

(12:03 pm IST)