Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સોખડા પંથકમાં ભૂદાનની જમીનનું કરોડોનું કૌભાંડ??

વાવેતર થતું ન હોય ગૌચરમાં ફેરવી નખાયેલ કહેવાતી જમીનમાં કરોડોના કૌભાંડની ભારે ચર્ચા

રાજકોટ તા. ૬: સોખડા અને આસપાસની મનાતી એક ભૂદાનની જમીન કે જેમાં લાંબા ટાઇમથી વાવેતર થતું ન હોય ગૌચરમાં પરિવર્તીત કરોડોની કિંમતી મનાતી જમીન ઉપર મોટો વહીવટ થઇ ગયાનું અને જો આ બાબતે તાકિદે પગલા ન લેવાય તો કરોડોની આ ગૌચર જમીનનું અંકે થઇ જશે તેવી ભીતિ સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રના ભાજપ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યાનું જાણવા મળે છે.

(12:02 pm IST)