Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વારકાના શ્રી નાગેશ્વર મહાદેવને શૃંગાર

મીઠાપુર :  હાલમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઇ ચુકી છે ત્યારે બધીજ જગ્યાએ આવેલા શિવ મંદિરોમાં ભગવાન દેવાધી દેવ મહાદેવને રીઝવવા માટે ભકતોનું ઘોડા પુર ઉમટયું છે, ત્યારે ૧૨ જયોતિલિંગમાં ના એક ઓખામંડળ તાલુકામાં આવેલા નાગેશ્વર જયોતિલિંગમાં પણ શીવભકતોની ભારે ભીડ જોવા મળી છે. આ ઉપરાંત ગઇ કાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવને અલગ જ રીતે શંૃગાર કરવામાં  આવ્યો હતો. મહાદેવનું આવું રૂપ જોઇને ભકતો ભાવવિભોર બની ગયા હતા અને આખુ જ શિવાલય હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠયું હતું અને જાણે કૈલાશમાં જ ઉપસ્થિત હોય તેવું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું (તસ્વીર-અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(12:03 pm IST)