Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પ્રિયાંકરાયજી દ્વારા કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ

જેતપુરમાં વૃક્ષારોપણ : જેતપુર તાલુકા પંચાયત ઓફીસમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નીમીતે વૃક્ષારોપણ કરેલ. આ કાર્યક્રમમાં ટી.ડી.ઓ. કે.વી. નંદા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

નવાઞઢ,તા.૩ જેતપુર શહેરનાં ધોરાજી રોડ પર નવનિર્મિત થયેલા કેન્દ્રીય વિદ્યાલયનાં ગ્રાઉન્ડમાં ગઈકાલે સવારે વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં રોપાઓનું વાવેતર શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુરનાં સ્થાપક પૂજય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનાં શુભ હસ્તે કરવામાં આવ્યું. આ વિદ્યાલયનાં વિદ્યાર્થી ભાઇ બ્હેનોને સંબોધતા જેજેશ્રીએ કહ્યું હતું કે વૃક્ષો સાથે આપણાં જીવનને ઉપયોગી કેટલીયે બાબતો જોડાયેલી છે.

પૂજય પ્રિયાંકરાયજીના “UGNH “ સૂત્ર અંતર્ગત

G =GREEN  GLOBE એટલેકે હરિયાળા વિશ્વ તરફ સમાજને લઇ જવા હરિયાળા વૃક્ષો હોવા જરૂરી છે.તે માટે સંસ્થા દ્વારાઙ્ગ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.ચાલુ વરસાદમાં પણ પૂજય જેજેશ્રીએ ભીંજાઈને આ પવિત્ર કાર્ય સંપન્ન કર્યું હતું.આ પ્રસંગે સ્કૂલઙ્ગ પ્રિન્સિપાલ શ્રી ચૌધરી સાહેબ,લોકસેવક હિતેષભાઇ રામાણી,વૃક્ષારોપણ સમિતિ કન્વીનર વિઠ્ઠલભાઈ સતાસીયા અને સમિતિ સભ્યો,વિદ્યાર્થી ભાઈ બહેનો,શિક્ષકો અને સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતાં.આજનાં દિવસે સાંજના સમયે શ્રી મોટી હવેલી જેતપુર ખાતે પણ પૂજય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રી દ્વારા છોડ અને રોપાનું વિતરણ વૈષ્ણવ ભાઈ બહેનોને વિના મુલ્યે કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી મનીષ ધ્રુવે કર્યું હતું.

(11:54 am IST)