Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

તળાજામાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ભદ્રેશ ગૌસ્વામીને પાસામાં સુરત લાજપોર જેલ હવાલે કરતી ભાવનગરએલસીબી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને સુચના આપેલ કે ભાવનગર જીલ્લાના માથાભારે શખ્સો  વિરૂધ્ધમાં હદપારી/પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવા સુચના કરવામાં આવેલ જે સુચના આઘારે ભદ્રેશભાઇ રમેશભાઇ ગૈાસ્વામી (ઉવ.૩૨ ) (રહે. બગદાણા) વિરૂધ્ધમાં  તળાજા પોલીસ સ્ટેશન માં મારામારી ના ગુન્હા નોઘાયેલ જે ગુન્હાનું રેર્કડ તૈયાર કરી ભાવનગર જીલ્લા મેજીસ્ટ્રેટ .તરફ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ જે દરખાસ્તનો જીલ્લા મેજીસ્ટ્રેટએ અભ્યાસ કરી પાસા અટકાયતમાં લેવા અને સુરત લાજપોર ખાસ જેલમાં  મોકલી આપવા હુકમ જારી કરેલ હતો

 ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાને સયુકત બાતમી મળેલ કે ભદ્રેશભાઇ રમેશભાઇ ગૈાસ્વામી( ઉવ.૩૨) (રહે. બગદાણા તા.મહુવા જી.ભાવનગર )ટોપ થ્રી સર્કલ પાસે ઉભો છે. જેથી તુરતજ ત્યાં જઇ મજકુરને પકડી લઇ એલ.સી.બી. કચેરી ઉપર લાવી પાસા અટકાતમાં લઇ હુકમની બજવણી કરી સુરત લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ જીવણભાઇ આહિર તથા હરગોવિંદભાઇ બારૈયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા ડ્રા.મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(12:04 am IST)