Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ મંત્રી બાવળિયાનો કાફલો રોક્યો :મોરબી શાખા કેનાલમાંથી પાણી છોડવાની માંગણી સાથે આપ્યું આવેદન

ત્રણ દિવસમાં પાણી નહીં છોડાય તો સીએમના કાર્યક્રમમાં વિરોધની ચીમકી

 

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ મંત્રી કુંવરજી બાવળિયાનાં કફલાને રોકી મોરબી શાખા કેનાલમાં પાણી છોડવાની માગ સાથે આવેદન આપ્યું હતું

   ધ્રાંગધ્રાના મેથાણ સહિત ગામોમાં પાણી આપવા ખેડૂતો દ્રારા માગ કરવામાં આવી હતીસિંચાઈનું પાણી મળતા 7 ગામોમાં ખેતીને નુકસાન થઇ રહ્યું હોવાની ફરિયાદ સાથે ખેડૂતો દ્રારા 3 દિવસમાં પાણી છોડાય તો મુખ્યમંત્રીના  કાર્યક્રમમાં વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ઉપરાંત  વિરાધમાં 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના  કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવાની ચીમકી પણ અપવામાં આવી છે.

(12:26 am IST)