Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઉના પાસે દ્રોણેશ્વર મછુન્દ્રી નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી યુવાનનું મોત

ઉના, તા. ૬ :. દ્રોણેશ્વર પીકપયર (નાના) ડેમ પાસે નદીમાં ન્હાવા પડેલા યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતું.

મોટા કોળીવાડામાં રહેતા મયુરભાઈ રામજીભાઈ જેઠવા (ઉ.વ.૨૮) તેના મિત્રો સાથે દોણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. બાજુમાં મછુન્દ્રી નદી આવેલી છે અને નદીના આગળના ભાગે નદીમાં પીકપયર નાનો દ્રોણેશ્વર પાણીનો ડેમ છે અને આ ડેમના પાણીનો ધોધ જ્યાં નદીમાં પડે છે ત્યાં મયુરભાઈ નદીના પાણીમાં ન્હાવા પડેલ અને તે ઉંડા પાણીમાં જતા રહેલ અને પાણીમાં ડૂબવા લાગેલ તે નદીના પાણીમાં ડૂબી ગયેલ અને પાણીમાં મયુર ડુબેલ હોવાની લોકોને જાણ થતા તેને બચાવવા પાણીમાં તરવાવાળા તરવૈયાોએ પ્રયાસ કર્યો હતો. મયુર પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ.

આ બનાવની જાણ ગીરગઢડા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી મયુરની લાશનું પી.એમ. કરાવીને અકસ્માતે મોત નોંધી આ અંગેની તપાસ પોલીસ જમાદાર એચ.કે. પરમારે હાથ ધરી છે.(૨-૪)

(10:27 am IST)