Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મોરબીમાં કોરોનાના વધુ બે કેસ સાથે આજે ચાર કેસ નોંધાયા : વાંકાનેરના દર્દીનું મોત : મોરબીમાં કુલ કેસનો આંક ૫૮એ પહોંચ્યો : મૃત્યુઆંક 2 થયો

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે રવિવારે એક જ દિવસમાં રેકર્ડબ્રેક બાર કેસ નોંધાયા બાદ સોમવારે પણ કોરોના કહેર યથાવત જોવા મળે છે અને મોરબીમાં વધુ બે કેસ સાથે આજે કુલ ચાર કેસ નોંધાયા છે તો વાંકાનેરના દર્દીનું મોત થતા કુલ મૃત્યુ આંક ૨ થયો છે

 

          રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ મોરબીના દરબારગઢ સંઘવી શેરીના રહેવાસી ૬૦ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડી નથી તે ઉપરાંત ગઈકાલે દરબારગઢ વિસ્તારની સુથાર શેરીમાં પોઝીટીવ જાહરે થયેલ ૫૩ વર્ષના પુરુષના પત્ની ૪૮ વર્ષની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે જે દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું  તે ઉપરાંત ગઈકાલે વિવિધ આરોગ્ય સંસ્થા ખાતેથી કુલ ૯૧ સેમ્પલ લેવાયા હતા જેમાં ૬ સેમ્પલ ટેકનીકલ કારણોસર રદ થયા છે જયારે બાકીના ૮૫ સેમ્પલ નેગેટીવ જાહેર થયા છે 

(8:24 pm IST)