Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના વધુ એક દર્દીને ભરખી ગયો:વાંકાનેરની અમરનાથ સોસાયટીના ૫૫ વર્ષના દર્દીનું મોત :મોરબી જીલ્લામાં કુલ બે દર્દીના કોરોનાથી મોત

વૃધ્ધાને છેલ્લા ત્રણ વર્ષથી હાઈપર ટેન્શન અને હૃદયની પણ તકલીફ હતી

  મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળે છે તો અગાઉ એક દર્દીના મોત બાદ આજે વધુ એક દર્દીનું મોત થતા કોરોનાથી મોરબી જીલ્લામાં મૃત્યુઆંક ૨ થયો છે વાંકાનેરના અમરનાથ સોસાયટીના વૃધ્ધાનું મોત થયું છે

 વાંકાનેરની અમરનાથ સોસાયટીના રહેવાસી ૫૫ વર્ષના વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જોકે વૃધ્ધાને છેલ્લા ત્રણ વર્ષથી હાઈપર ટેન્શન અને હૃદયની પણ તકલીફ હતી જે વૃધ્ધાનું આજે રાજકોટ સિવિલ ખાતે મોત થયું છે અને મોરબી જીલ્લામાં અગાઉ રવાપર ગામના યુવાન બાદ કોરોનાથી આ બીજું મોત છે મૃત્યુ પામેલા વૃદ્ધાના પુત્રવધુનો રીપોર્ટ ગત રાત્રીના પોઝીટીવ આવ્યો છે જે પણ હાલ સારવાર હેઠળ છે

(8:20 pm IST)