Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના તારી કરૂણ કહાની

નવાગઢમાં પુત્રના મોતના વિયોગમાં પુત્ર રટણ કરતા કરતા 'મા'એ દેહ છોડયો....

નવાગઢ તા.૬ : જેતપુરના નવાગઢમાં કોરોનાએ ગજબની કરૂણા ફેલાવી છે. પુત્રના ચારેક દિવસ પહેલા કોરોના ચેપના કારણે મોત થતા વયોવૃધ્ધ માતા આ કારમો આઘાત સહન ન કરી શકતા બે દિવસ બાદ તેમનું પણ મોત થતા પરિવાર ઉપર વ્રજઘાત થયો છે.

જેતપુરના નવાગઢ ખાતે ધીરૂભાઇ નાગજીભાઇ પાદરીયાને માત્ર ચાર પાંચ દિવસ તાવ આવ્યો. પ્રથમ જેતપુર બાદમાં રાજકોટ સીવીલ ખસેડાયા કોરોના પોઝીટીવ રીપોર્ટ બપોરે ત્રણ કલાકે આવ્યો ચાર વાગ્યે ધીરૂભાઇએ દમ તોડયો હતો.

નવાગઢના ધીરૂભાઇ પાદરીયાના આ  રીતે અચાનક મોતના સમાચાર નવાગઢની જનતાને પણ અવાચક હતી ને કોરોનાને કદુવા દઇ રહી હતી તેવામાં પાદરીયા પરિવાર ઉપર આભ ફાટયું. ધીરૂભાઇના મોતની જાણ તેમના વયોવૃધ્ધ માતા સંતોકબેન પચાવી ન શકયા ને  જયારથી આ સમાચાર જાણ્યા ત્યારથી મારે મારા દિકરા પાસે જાવુ છે તેવું રટણ કર્યુે રાખતા હતા ને બે દિવસ બાદ સંતોકબેન (ઉ.વ.૯૦)એ પણ પોતાનો દેહ છોડયો તયારે પાદરીયા પરિવાર હીબકે ચડયો છે.

(1:19 pm IST)