Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદના લાંચ પ્રકરણમાં PSI શ્વેતા જાડેજાના કેશોદના નિવાસસ્થાને તપાસાર્થે આવેલ ક્રાઇમ બ્રાંચની ટીમ દરવાજે લોક જોઇ પરત ફરી

કેશોદ તા. ૬ : સમગ્ર ગુજરાતના પોલિસબેડામાં ખળભળાટ મચાવનાર અમદાવાદના કથિત દુષ્કર્મકાંડમા ૩૫ લાખનો તોડ કરવાની જેની સામે પોલિસ ફરીયાદ નોંધાયેલછે તે પીએસઆઇઙ્ગ શ્વેતા જાડેજાના કેશોદ ખાતેના નિવાસ સ્થાને મોડી રાત્રિના સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસાર્થે આવી પહોંચી હતી.

તપાસાર્થે કેશોદ આવેલ ક્રાંઇમ બ્રાંચ ટીમેઙ્ગ આરોપી પીએસઆઇના મકાનના મુખ્ય દરવાજે લોક જોઈઙ્ગ પરત જતી હોય તેવા સીસીટીવી કુટેજ સામે આવ્યા હતા.ઙ્ગ

આ સમગ્ર ઘટનામાં PSIએ દુષ્કર્મની ફરીયાદ દબાવવા ૨૦ લાખ અને સાક્ષીને ધમકાવવાના કેસમાં ૧૫ લાખ માંગતાં તેમની વિરૂધ્ધ પોલિસ ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે.ઙ્ગ

આ દુષ્કર્મ લાંચ પ્રકરણમાંઙ્ગ PSIઙ્ગ વિરૂધ્ધ નોંધાયેલા ફરીયાદ કેશોદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.(

(1:00 pm IST)