Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામનગરમાં કોરોનાએ રનો ભોગ લેતા અરેરાટીઃ વધુ એક તબીબને કોરોના

જામનગર તા. ૬ :.. ગઇકાલે કોરોનાથી ર વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જામનગરના ૭૦ વર્ષના અબ્બાસભાઇ  અને ૬પ વર્ષના ભાનુબેન સોલંકીનો કોરોનાએ ભોગ લીધો છે.

આ ઉપરાંત આજે જામનગરના ડો. ચિંતન કામદાર (ઉ.૩૬) નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જામનગર શહેરમાં રાત્રે નોંધાયેલ ૩ કોરોના પોઝીટીવ કેસમાં મનોહરસિંહ જાડેજા ઉ.૩૭, શેરી નં. ૭ બ્લોક નં. એ-ર૬ મોહનનગર, ગુલાબનગર-જામનગર, રસીદા શેખ (ઉ.ર૪) ગુજરાતી વાડ-જામનગર, ડો. ચિંતનભાઇ કામદાર (ઉ.૩૬) રહે. સરનામું ૩૦૧ માધવ વિલા એપાર્ટમેન્ટ, સર્વોદય સોસાયટી, મીનાક્ષી સ્કુલ પાસે જામનગરનો સમાવેશ થાય છે. આ સાથે જામનગર શહેરમાં નોંધાયેલ કુલ કેસ ર૦પ થયા છે.

(12:58 pm IST)