Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શાપર-વેરાવળ પાસે અજાણ્યા વાહને એકટીવાને ઉલાળતા ગોંડલના જયદીપ ખેરડીયાનું મોત

રાજકોટ, તા. ૬ :. શાપર-વેરાવળ પાસે અજાણ્યા વાહને એકટીવાને ઉલાળતા ચાલક ગોંડલના યુવાનનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ જેતપુર રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા જયદીપ ભરતભાઈ ખેરડીયા (ઉ.વ. ૩૬) ગઈકાલે પોતાના એકટીવા બાઈક નં. જીજે ૦૩ એલસી ૨૩૭૭વાળુ લઈને ગોંડલથી રાજકોટ જતા હતા ત્યારે શાપર-વેરાવળ પાસે અતુલ ઓટો પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા જયદીપભાઈને ગંભીર ઈજા થતા તેનુ મોત નિપજ્યુ હતું. બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો.  મૃતક જયદીપભાઈને સંતાનમાં એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા દરજી પરિવારમાં શોકની લાગણી ફેલાય છે.  શાપર-વેરાવળ પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)