Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગારિયાધાર ખાતે શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને રજુઆત

ગારિયાધાર :  ધારા સભ્ય કેશુભાઈ નાકરાણી કાર્યાલય ખાતે શિક્ષિત બેરોજગારો દ્વારા લેખિત રજુઆત કરવામા આવેલ કે રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમય થી ભરતી પ્રકિયા અટકાવામા આવેલ છે તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવામા આવે તેમજ જે ભરતીમા નિમણુંક પત્રો આપવાના બાકી છે તેમા નિમણુંક આપવામા આવે તેમજ જે તે ભરતીઓ જે તે કારણોસર અટકેલી પડેલી છે તે વહેલી તકે પુર્ણ કરવામા આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજુઆત કરવામા આવેલ. તે તસ્વીર.

(9:44 am IST)