Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ભાવનગરમાં કોરોનાથી એકનું મોત અને ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૩૦ કેસો પૈકી ૪૬૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૩૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪ પુરૂષ અને ૩ સ્ત્રી અને તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
  આજરોજ ભાવનગર જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.  જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪ અને તાલુકાઓમાં ૨૦ કેસ મળી કુલ ૨૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ  થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૩૦ કેસ પૈકી હાલ ૪૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૧ દર્દીઓનું અવસાન થયેલ છે.

(8:42 pm IST)