Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સુરેન્દ્રનગર કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ : 17 હોદ્દેદારોએ સામુહિક રાજીનામાં આપ્યા : AAPનો ખેસ ધારણ કર્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 17 હોદ્દેદારોના રાજીનામાં

સુરેન્દ્રનગર : રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ દાવપેચ શરૂ થઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોના રાજીનામા પડતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. વઢવાણ નગરાપાલિકાના પૂર્વ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પણ રાજીનામું પડી ગયું છે. કુલ 17 જેટલા હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તમામ સભ્યો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયા છે.

(6:00 pm IST)