Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર જાઞીર દ્વારા રાશન કિટનું વિતરણ

મહંત પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદોને દર મહિને વદ અગિયારસના દિવસે રાશન કિટ અપાઈ

મોરબીમાં લોકોને મદદરૂપ બનવા માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે ત્યારે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરના મહંત પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદોને દર મહિને વદ અગિયારસના દિવસે રાશન કિટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું   

  મોરબીના નીલકંઠ મહાદેવ મંદીરના મહંત ગુલાબગિરી ઘેલુંગિરી ગોસાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલમાં તેઓના પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર મહિને વદ અગિયારસે આ રાશન કિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આજે દાતા સ્વ. કિશોરીબેન ભુપતરાય દોશીના સ્મરણાર્થે દોશી પરિવાર અને મહંત ગુલાબગિરી ઘેલુંગિરી ગોસાઈની હાજરીમાં રાશન કીટ આપવામાં આવી હતી અને જે લોકોને આ સેવાનો લાભ લેવો હોય તેમણે (મો. ૮૮૪૯૬ ૬૪૩૯૦ ) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે

(10:00 pm IST)