Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ખંભાળિયા પંથકમાં પ્રિમોન્‍સુન કામગીરી : ત્રણ દિ' વીજકાપ

જામખંભાળિયા,તા. ૬: ચોમાસાની ત્રછતુમાં સમારકામની પૂર્વ તૈયારીના ભાગરૂપે  પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી સમયાંતરે પ્રી-મોન્‍સુન કામગીરી હાથ ધરાનાર છે. જેમાં રવિવાર સુધી વીજકાપ મુકવામાં આવશે.

આવતીકાલે શનિવારે ૧૧ઙ્ગકે.વી. સિટી- ૧ અર્બન હેઠળ આવતા મિલન ચાર રસ્‍તા વિસ્‍તાર, પોરબંદર રોડ, દ્વારકા ગેઈટ, તેમજ રામનાથ સોસાયટી વિસ્‍તારમાં સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્‍યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

આ જ રીતે રવિવાર તારીખ ૮ મી ના રોજ સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્‍યા સુધી અહિના નગર ગેઈટ અર્બન ફીડર હેઠળના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, કોર્ટ ઓફિસ, હરસિદ્ધિ નગર, મિલન ચાર રસ્‍તા, રાજડા રોડ, બંગલાવાડી, પોર ગેઈટ, ગુંદી ચોક વિગેરે વિસ્‍તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

(1:33 pm IST)