Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

દ્વારકામાં વિઠલાણી પરિવાર દ્વારા જગાડાડાના મંદિરનો જીર્ણોધ્ધાર-શિવાલયનું નિર્માણ કરાશે

દ્વારકા તા.૬ : દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં સમસ્ત વિઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતર માતાજી તેમજ શ્રી સુરાપુરા જગાડાડાની પ્રેરણાથી સમસ્ત વિઠલાણી કુટુંબના કલ્યાણર્થે દ્વારકા - જામનગર હાઇવે, બરડીયા ખાતે આવેલા શ્રી જગાડાડાના સ્થાનકે નવમી પંચકુડી હવનનું ભવ્ય આયોજન આગામી તા.૧૮ને બુધવારના કરવામાં આવેલ છે. હવન સવારે ૯ કલાકે શરૂ થશે અને બીડુ  બપોરે ૪.૩૦ કલાકે તેમજ મહાપ્રસાદી સાંજે ૬.૩૦ કલાકે શ્રીજગાડાડા ધામ,  જામનગર હાઇવે, બરડીયા મુકામે કરવામાં આવેલ છે. સાથે સાથે જગાડાડાના મંદિરનો જીર્ણોધ્ધાર તથા શિવમંદિર (શિવાલય)નું નવ નિર્માણ કાર્યની શરૂઆત પણ આ પાવન અવસરે કરવામાં આવશે.

કુટુંબીજનો બહેન, દિકરીઓ સાથે હાજર રહેવા જણાવ્યું છે. હવનમાં બેસવાની ઇચ્છા ધરાવનાર કુટુંબીજનોએ પોતાના નામ શરદ વિઠલાણી મો.૯૮૭૯૭ ૬૯૮૩૮, રમેશ વિઠલાણી (મો.૯૪ર૮૧ ર૬૮ર૧), મનુભાઇ વિઠલાણી (મો.૯૬૬ર૯ ૪૧૧૭૦), કનુભાઇ એચ. વિઠલાણી (મો.૯૯ર૪ર ર૩ર૧૬), નારદભાઇ વિઠલાણી - સુરજ કરાડી (મો.૯૯૦૪૦ ૭ર૦૩૪), દિપકભાઇ વિઠલાણી - ઓખા (મો.૯૮ર૪૮ ૩૧૪૯૪), નરેન્દ્ર વિઠલાણી જામનગર  (મો.૯૮ર૪૮ ૬૭૬ર૦), જેન્તીભાઇ વિઠલાણી - સુરત (મો.૮ર૬૪૮ ર૧૧ર૧)ન ે તા.૧૦-૪-ર૦૧૮ સુધીમાં નોંધાવી આપવાના રહેશે. જે નામો આવશે તે બધા વચ્ચે તા.૧૧ને સાંજે પ કલાકે જગતમંદિરમાં આવેલા વિઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના સાનિધ્યમાં ચીઠઠ્ી નાખવામાં જેઓન ાનામ આવશે તેઓને હવનના યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થશે.

(12:01 pm IST)