Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કાલે જામજોધપુરના ધુનડા સતપુરણ ધામ આશ્રમે પુનમ નિમિતે પૂ. જેન્‍તિરામબાપાનો સત્‍સંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : જામજોધપુરથી ૨૧ કિમીના અંતરે આવેલ ધુનાના સતપુરણ ધામ આશ્રમ ખાતે આવતીકાલે પુનમ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ.જેન્‍તિરામબાપાનો સત્‍સંગ યોજાનાર છે.

જેમાં પૂ.જેન્‍તિરામ બાપા હોળી ધુળેટી પર્વની ઉજવણી પાછળના હાર્દ સત્‍સંગ દ્વારા જણાવશે. અને ભકત પ્રહલાદની ભગવાન પ્રત્‍યે શ્રધ્‍ધા અને કસોટીમાંથી કેમ પાર આવેલ તેનું વર્ણન કરશે આ અવસરે દેશ વિદેશના ભાવિકો સત્‍સંગનો લાભ લેવા આવનાર હોય જેને ધ્‍યાનમાં લઇ તમામ તૈયારી થઇ ચૂકી છે

(12:01 pm IST)