Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના વાવડી રોડ પર શ્રી હનુમાન ચાલીસા કથા યોજાશે

ઉમિયા ગેટની અંદર સ્વાતી પાર્ક ખાતે અગામી તા. ૨૭ માર્ચથી તા. ૨૯ માર્ચ સુધી શ્રી હનુમાન ચાલીસા કથા યોજાશે

મોરબીના આંગણે આગામી તા. ૨૭ માર્ચથી ૨૯ માર્ચ દરમીયાન વાવડી રોડ પરની સોસાયટીમાં શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે

વાવડી રોડ પર ઉમિયા ગેટની અંદર સ્વાતી પાર્ક ખાતે અગામી તા. ૨૭ માર્ચથી તા. ૨૯ માર્ચ સુધી શ્રી હનુમાન ચાલીસા કથા યોજાશે જેમાં દરરોજ રાત્રે ૯ થી ૧૨ સુધી કથા શ્રવણનો ભક્તો લાભ લઇ શકશે કથામાં મોરબીના પુ.નિખીલભાઈ જોષી વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે જે હનુમાન ચાલીસા કથાનો ભક્તોએ લાભ લેવા આયોજક વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા અને યશ વિનોદભાઈ કવૈયાએ જણાવ્યું છે.

 

(11:48 pm IST)