Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વિસાવદર નજીક ચાપરડા સંકુલમાં અભ્યાસ કરતા રાજકોટના ઓમિલનો ગળેફાંસો ખાઈને આપઘાત

ભણતરનો તણાવ ભરખી ગયો કે કેમ ? ફોરેન્સિક પીએમ બાદ વિગત ખુલશે

વિસાવદર નજીકના ચાપરડા સંકુલમાં રહીને ધો.11 માં અભ્યાસ કરતા રાજકોટના એક છાત્રએ ગળાફંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  અંગેની વિગત મુજબ વિસાવદરના ચાપરડાં ખાતે આવેલ બ્રહ્માનંદ સંકુલમાં રહીને ધો.11 માં અભ્યાસ કરતો રાજકોટનો ઓમિલ વિપુલભાઈ રાજ્યગુરુ ( ,,16 ) સંકુલના હોસ્ટેલમાં રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ગળાફંસો ખાઈ લેતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ઓમિલને અભ્યાસને લઈને સતત તનાવમાં રહેતો હતો, તે કારણોસર પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. મૃતકની લાશને ફેરેન્સિક પીએમ માટે જામનગર ખસેડી છે. ત્યાર બાદ વધુ વિગતો ખુલશે તેમ જણાવ્યું છે.

(12:25 am IST)