Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ભાવનગર સરદાર યુવા મંડળ દ્વારા

સરદારની જેલ યાત્રાની ૭૯મી વરસીની ઉજવણી કાર્યક્રમ જીલ્લા જેલમાં યોજાશે

ભાવનગર શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃતિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રથમ જેલ યાત્રાની ૭૯ મી વરસી ઉજવણી કાર્યક્રમ તા. ૭ ના રોજ સાંજે પાંચ વાગ્યે ભાવનગર જીલ્લા જેલમાં કાર્યક્રમ યોજાશે, જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ ની રાસ ગામેથી તા.૭/૩/૧૯૩૦  ધરપકડ થઇ હતી. સરદાર  સાહેબને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. સરદાર સાહેબનો  કેદી નંબર ૧૫૭૧૦  હતો. આથી ૭ મી માર્ચના રોજ ભરત મોણપરાનું વકતવ્ય યોજાશે, તેમજ જીલ્લા જેલમાં શીસ્તબધ રીતે રહેતા કેદી ભાઇ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરાશે, તેમજ જીલ્લા જેલમાં સફાઇ કામ કરતા ભાઇનું શાલ ઓઢાડી સન્માન કરાશે. આ કાર્યક્રમમાં ભરત મોણપરા, પુનીતભાઇ ભટ્ટ પ્રાંચી (ફાર્માસીન્) શીક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન રામદેવસિંહ ગોહીલ જીલ્લા જેલના જેલર આર.બી. મકવાણા, સુબેદાર પ્રજાપતી તેમજ મંડળના સભ્યો ઉપસ્થિત રહેશે. (૩.૯)

 

(12:01 pm IST)