Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કુતિયાણાના કડેગીમાં કૌટુંબિક ખેતીની જમીનના ડખ્ખામાં ગળે ફાંસો ખાઇને આપઘાત

પોરબંદર તા. ૬ :.. કુતીયાણાના કડેગી ગામે કૌટુંબીક બાપ દાદાની ખેતીની જમીનના ડખ્ખામાં વધતા ત્રાસથી ટેન્શનમાં આવી જઇને આઘેડે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

કડેગીના નરેન્દ્ર ઉર્ફે લાલો જીવા ચૌહાણ (ઉ.ર૪) એ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેના કાકા  મોહનભાઇ વીરાભાઇ બાપદાદાની ખેતીની જમીનમાં હકકની જમીનની કુટુંબીજનો અદલા-બદલી કરી નાખશે તેવા ટેન્શનમાં રહેતા હોય અને ત્રાસ વધતા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી રાજશી મેઘા, જેઠા મેઘા, ભાણજી મેઘા, મેરામ મેઘા, ધીરૂ, રાવજી વગેરે ખેતીની જમીનની અદલાબદલી  કરીને પચાવી પાડશે.  અને તેના ત્રાસથી કંટાળી જઇને મોહનભાઇ વીરાએ આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧૭)

(1:16 pm IST)